પોસ્ટ્સ

મે, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાત પર તોળાઈ રહ્યું છે સંકટ, જાણો કેટલું ખતરનાક બની શકે છે વાવાઝોડું

છબી
      ગુજરાત પર તોળાઈ રહ્યું છે સંકટ, જાણો કેટલું ખતરનાક બની શકે છે વાવાઝોડું        ભારતની ખાનગી ક્ષેત્રની હવામાનને લગતી આગાહી કરતી કંપની સ્કાયમેટે તેમની સત્તાવાર સાઈટ પર વાવાઝોડાને લઈને માહિતી આપી છે. તો આજે જાણીશું વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહી વરસાદી હવામાન        ઉત્તર દરિયા કાંઠાના કર્ણાટક અને ગોવાથી પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ છે. તેની અસરને કારણે, ટૂંક સમયમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. આજે, 22 મે સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની અને વધુ તીવ્ર બનવાની શક્યતા છે        આ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે સમુદ્ર સપાટીનું તાપમાન અને અન્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુકૂળ છે. જોકે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે કે નહીં તે કહેવું હજુ અશક્ય છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કિનારા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં તે ચક્રવાતમાં તીવ્ર બને તેવી શક્યતા છે.જો વધુમાં જાણીએ તો ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર, દક્ષિણ પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર-કચ્છ કિનારાની નજીકનો સમુદ્ર બાકીના પ્રદેશ કરતાં લગભગ 2°C...